અભિ અભિનવ

  • 2.8k
  • 829

જેમ પંખીના ગાન વગર ગગન સૂનું લાગે તેમ કવિતાના કલરવ વિના આ પૃથ્વી શૂન્ય લાગશે. કવિ, કવિતા સાથે સભાનતાથી વર્તે છે, અને કવિતામાં વાતાવરણ અને સંજોગોને ઓળંગી પોતાની લાગણીઓ પ્રગટ કરવા પ્રયત્ન કરે છે. મારા આ ગઝલ સંગ્રહ- “અભિ અભિનવ” ની રચનાઓમાં આવી સભાનતાનો ભાવકને ખ્યાલ આવે, તો મને આનંદ થશે. – પ્રવીણ શાહગઝલ સંગ્રહ- “અભિ અભિનવ”- પ્રવીણ શાહ અર્પણ- મારા પરિવાર જનોને 1. માગીએ સૂરજ પાસે શીતળતા માગીએ, એને ગરમીનો આંક બતાવીએ. વાદળને કહો કે પૂરતું જળ આપે, માગે તો થોડું પાછું આપીએ. આ લાંબી ચાદર પણ ટૂંકી લાગે, ફરી