રિવેન્જ - પ્રકરણ - 42

(227)
  • 7k
  • 10
  • 3.4k

રિવેન્જ-42 ગુરુ અઘોરનાથે અન્યાને બધી સિધ્ધી શક્તિ આપી દીધી. અને કહ્યું "હવે તું મુક્ત છે જા... તારાં કર્મો બાકી રહ્યાં છે તે તું પૂરા કરીને મારી પાસે જ પાછી આવ. અને તારાં જીવ આત્માની પાત્રતા અને માં કાળીની આસ્થાને કારણે મેં તને મદદ કરી છે શક્તિ આપી છે... તું જઇ શકે છે અને તું તારાં પ્રેમી પાસે પણ જઇને પહેલાંની જેમ જીવી શકીશ... પરંતુ આ છેલ્લી શરત પણ સાંભળી લે..એની સાથે પ્રેમ કરતાં આ શક્તિનો ખોટો ઉપયોગ થયો. અથવા તેં... મર્યાદા ગુમાવી તો તારાં પ્રેમીને તારી અસલીયત ખબર પડી જશે... તારું અસલીરૂપ જાણી લેશે અને એને પણ જીવ ગુમાવ્યો