સંકલ્પથી સફળતા - 2

(12)
  • 2.1k
  • 3
  • 1k

ફાયદાઓ સંકલ્પના ફાયદાઓ જોઇએ તો એમ કહી શકાય કે જ્યારે તમે સંકલ્પ કરો છો ત્યારે હેતુને પ્રાપ્ત કરવા જરૂરી કાર્યો સમજાવા લાગતા હોય છે, તેને લગતી ગંભીરતા આવવા લાગતી હોય છે, તેને પુરા કરવા માટે નવા નવા માણસોને મળવાનુ થશે, નવા સંબંધો કેળવાશે, તેઓની સાથે વાતચીત કરવાનો, જીંદગીને જોવાનો નવો દ્રષ્ટીકોણ મળશે, વ્યવહારમા ગંભીરતા આવશે, સંબંધોની કીંમત સમજાશે, સાથ સહકારની પ્રવૃત્તીમા વધારો થશે, દીર્ઘદ્રષ્ટીમા વધારો થશે, દરેક ઘટનાને પોતાના હેતુને અનુલક્ષીને મુલ્યાંકન કરતા આવળશે, તમામ શક્તીઓ ધીમે ધીમે વિકસવા લાગશે, ક્યારેય અનુભવાઇ ન હોય તેવી જરુરીયાતો સમજાશે, તમારો સ્વભાવ કેરીંગ બની જશે, દરેક નાની નાની બાબતોની કાળજી લેતા