તને જાતાં જોઈ હસવાની વાટે...!

  • 2k
  • 2
  • 636

તને જાતાં જોઈ હસવાની વાટે..! સ્વ્પ્નાઓનું પણ સાલું કંઈ નક્કી નહિ. આવે તો છપ્પર ફાડીને આવે, ને નહિ આવે તો, ઠુંઠી સાવરણીનું પણ સ્વપ્ન નહિ આવે. અમુક તો એવાં નસીબના ધોયેલા કે, બોલીવુડથી માંડીને ઢોલીવુડ સુધીની હિરોઈનના સ્વપ્નાની મઝા લે. ત્યારે ૨૬ મી જાન્યુઆરીએ મને ગાંધીજી સ્વપ્નમાં આવ્યા. ગાંધીજીના દર્શન થતાં જ મારાથી ચીસ નંખાય ગઈ કે, ‘આઝાદી અમર રહો..!’ ને બાજુ વાળી જાડીએ સાંભળ્યું, ‘આ જાડી અમર રહો..!’ હજી ઝઘડો શાંત થયો નથી બોલો...! વાસ્તવમાં ગાંધીજી મને કહેવા આવેલા કે, આ બેંક ખાડામાં જાય તો, ચારેય બાજુ ચિંતા થાય છે. પણ માણસ ખાડામાં જાય તો