ઉજ્જડ બાગનો બાગબાન

(27)
  • 2.7k
  • 2
  • 758

ઉજ્જડ બાગનો બાગબાન અરવિંદભાઈ ઉચ્ચતર માધ્યમિક સ્કૂલના શિક્ષક, સ્વભાવે શાંત અને પોતાના કામથી કામ રાખનારા એક સરળ માણસ હતા. પચાસમે વર્ષે, પચ્ચીસ વર્ષનું લીલા છમ્મ બગીચા જેવું લગ્નજીવન સંકેલીને એમના ધર્મ પત્ની અચાનક ટૂંકી માંદગીમાં અવસાન પામ્યા. બાવીસ વરસનો યુવાન દીકરો અને હજુ તો હમણાં જ સાસરે વળાવેલી માસૂમ દીકરી આઘાતથી રડી રડીને સાવ અધમુવા થઈ ગયા. અને પોતાને એકલો મૂકીને સાવ આમ ચણવા આવેલું પક્ષી ઉડી જાય તેમ ઉડી ગયેલી પત્નીને મનોમન ખૂબ વઢયા, " સાવ આમ જતું રે'વાતું હશે ? હજુ તો કંઈ કેટલાય કામ બાકી છે, આ દીકરા સુમન સાટું સારી વહુ શોધવાનું, પછી એના બાળકોને