શિકાર : પ્રકરણ 31

(239)
  • 6.4k
  • 8
  • 2.7k

આશ્રમમાં દર્શનને નિધિ સાથે સાંજે વાત કરતો જોયા પછી અજય મહારાજે એના બે માણસોને બોલાવ્યા હતા. "રાઇન્સ, માર્શલ તમે બંને હવે દર્શનનું કામ ઝડપથી આટોપી લો." "જી મહારાજ." બંને વિદેશીઓ બોલ્યા. "વિજયી ભવ." તેજસ્વી સ્વરે અજય મહારાજે કહ્યું ત્યારે એ અવાજમાં મૂળ અમેરિકાના પણ ઇન્ડિયામાં આવીને મોટા પાયે હ્યુમન બોડી પાર્ટ્સ અમેરિકા પહોંચાડતા રાઇન્સ અને માર્શલ બને જણે હિન્દૂ હોય એમ ગરદન ઝુકાવી હતી. બરાબર એ જ સમયે ચંદ્રાદેવીએ અજય મહારાજનો દરવાજો ખખડાવ્યો હતો. તરત રાઇન્સ અને માર્શલ તિજોરીના પરદા પાછળ લપાઈ ગયા. અજય મહારાજે દરવાજો ખોલ્યો પણ ચંદ્રા અંદર અવવાને બદલે બહારથી જ બોલી હતી. એણીએ કહ્યું હતું કે