નકામી બાબતોમાં ન પડો - 3

(21)
  • 3.1k
  • 1
  • 925

આવી પરીસ્થિતિઓથી બચવાના ઉપાયો શું હોઇ શકે ?- પોતાના કામથી કામ રાખો, દરેક વાતમા સલાહ સુચન દેવાનુ, ટીકા ટીપ્પણીઓ કરવાનુ કે લોકોને નીચા પાળવાનુ બંધ કરો. જો કોઇ વ્યક્તી સાથે સમસ્યા હોય તો મન પડે તેમ આરોપ પ્રતી આરોપ કરવાથી બચો કારણ કે તેનાથી સમસ્યા વધુ ગુંચવાતી હોય છે, તેના કરતા એક બીજાનુ હીત સાચવી સભ્ય ભાષામા વાતચીત કરવામા આવે તો બન્ને વ્યક્તીઓ આવી બાબતોમાથી બહાર આવી શકતા હોય છે.- પોતાના હેતુને બરોબર સમજો, તેના માટે કેવા કામ કરવા જોઇએ અને કેવા નહી તેની સ્પષ્ટતા કરો, આવી સમજ ધરાવતા વ્યક્તીને દરેક કાર્ય પોતાના હેતુને ફાયદાકારક છે કે નુક્શાન કારક તેનુ