સેનમી - ભાગ ૪

(13)
  • 2k
  • 891

તેં દિવસે સોનલે ગામના મુખીની હાજરીમાં જે મંદિરમાં પગ મુકવાની મંજુરી નહોતી એ મંદિરમાં જઈને ચોખા ઘી નો દીવો કર્યો, આ વાતની જાણ આખા ગામમાં થઇ એટલે તો જાણે આખા ગામમાં ભૂકંપ આવ્યો. સિત્તેર ટકા લોકોના મનમાં સવાલ પેદા થયો,“હાય બાપ આવું તો થતું હશે? સેન્મીના પગલા મંદિરમાં પડ્યા?,આખું મંદિર ધોવડાવવું પડશે”. જયારે ત્રીસ ટકા લોકો એવા પણ હતા જે એવું વિચારતા હતા,”ઠીક છે ને હવે, પૂજા કરી તો કરી.એય માણસ તો ખરા જ ને”. મારી સોનલબેનના બાપુ શંકરે હવે સોનલને ઘરમાંથી બહાર નીકળવા પર પ્રતિબંબ લાધ્યો. ખેતરેથી આવતા જતા,ઝાંપામાં,દુકાને આવતા જતા લોકોના ટાણા સાંભળીને આ પગલું ભરવામાં આવ્યું હતું.