રહસ્યમય મંદિર

(53)
  • 4.9k
  • 1.7k

અષાઢ મહિના ની મેઘલી રાત્રે એસ. પી. સુરજસિહ પોતાના નીજી કામ માટે રાજકોટ થી મુંબઈ જઈ રહ્યા હતા તેથી પોતાની કાર લઈને નીકળ્યા હતા.અને સીવીલ ડ્રેસ માં હતા. રાજકોટ થી વહેલી સવારે નીકળ્યા હતા. રસ્તા માં બે ત્રણ સ્ટોપ કરી રાત્રે કરજણ પહોંચ્યા. કરજણ થી બે ત્રણ કિલોમીટર દુર ગયા હશે ત્યાં રસ્તામાં તેમની ગાડી બંધ પડી ગઈ.દસેક મિનિટ રાહ જોઈ કે કોઈ પસાર થાય તો મદદ મળી જાય તો.પણ કોઈ મળ્યું નહીં આથી કંટાળી ને આજૂબાજૂ માં તપાસ કરવા રસ્તા નીચે ઊતરી અંદર ની તરફ ચાલવા લાગ્યાં.