જડીબુટ્ટી

(22)
  • 3.7k
  • 1
  • 924

વાર્તા- જડીબુટ્ટી લેખક- જયેશ એલ.સોની.ઊંઝા મો.નં.9601755643 સુખપુર ગામમાં ચોરે ને ચૌટે એકજ ચર્ચા હતી.સ્મશાનભૂમિ માં એક ગોપાલગીરી નામના ચમત્કારી બાપુ હિમાલય થી પધાર્યા છે અને ત્રિકાળજ્ઞાની છે.પંદર દિવસ સુધી તેઓ ગુપ્ત સાધના કરીને ગામની ભૂમિને પવિત્ર કરશે અને પછી ગામ લોકોને મળશે અને હિમાલયની સિદ્ધ કરેલી જડીબુટ્ટીઓ થી ગામ લોકોની ગંભીર માં ગંભીર બિમારીઓ જડમૂળથી મટાડશે. એવો કયો વ્યક્તિ હશે જેને કોઇ બિમારી ના હોય.લોકો ક્યારે પંદર દિવસ પૂરા થાય એની રાહ જોઇને બેઠા હતા. ગોપાલગીરી ની પધરામણી થયે આજે ચાર દિવસ થયા હતા પણ હજી સુધી કોઇએ તેમને જોયા નહોતા.પણ આજે ગામની એક વ્યક્તિ નું અવસાન થયું