પ્રેત યોનિની પ્રીત... - 25

(145)
  • 6.5k
  • 11
  • 2.9k

પ્રેત યોનીની પ્રીત પ્રકરણ-25 પરકાયા પ્રવેશ કરીને બાબા અઘોરનાથ માનસનાં રૂમમાં બહાર આવ્યા હતાં. માનસનો જીવ હજી ક્યાંક પીડાથી તડપતો હતો એનાં મુખેથી મનસાને પ્રશ્નો પૂછાઇ રહેલાં કે મારી સાથે દગો કેમ કર્યો કેમ છીનાળુ કર્યું આટલાં પ્રેમ પછી પણ તું વેચાઇ ગઇ ? પરકાયા પ્રવેશનાં પ્રયોગ પછી માનસની સ્મૃતિમાં રહેલી પીડા બહાર નીકળી. બાબાએ હવનયજ્ઞ પાસે આવીને આહુતી આપી અને પરકાયા પ્રવેશને સંપૂર્ણ બનાવ્યા અને ત્યાંજ બધાએ જોયું એવું કે આશ્ચર્યથી આંખો ફાટી ગઇ.. માનસનો દેહ ત્યાં પડી રહ્યો અને પ્રેતયોની પહેલાંનો વિધુને જન્મ જાણે સાકાર થયો. બાબા સંપૂર્ણ વિધુ બની રહ્યા અને તેઓએ સંપૂર્ણ પરકાયા પ્રવેશ પર કાબૂ જમાવ્યો.