અવ્યક્ત

  • 2.4k
  • 1
  • 624

----------------------------------------। અવ્યક્ત ।----------------------------- --- અર્જુનસિંહ.કે.રાઉલજી. જજશ્રી જોરૂભા ઝાલા અચાનક જ અવ્યક્ત થઇ ગયા ..માત્ર અવ્યક્ત ..! કોઇ અદશ્ય કે અલોપ ના સમજે ..! નથી તો તે ગાયબ થઇ ગયા , માત્ર અવ્યક્ત . તેમણે પોતાના અસ્તિત્વનો એક ટુકડો આખા જગતના મોટા ટુકડાથી અલગ કરી દીધો , એક નાના અતિસૂક્ષ્મ ટુકડામાં તેઓ સંકોચાઇ ગયા , ક્યાં ગયા હતા ?બધાંને નવાઇ લાગતી હતી . જોરૂભા એટલે જોરૂભા –એક સમાસ બની ગયા હતા , બધાં માટે ઉદાહરણ . કદાચ કલિકાળના ગાંધી કહીએ તો પણ ચાલે .ઘડીયાળના કાંટે ચાલનારા . લોકો તો કહેતા –તમારે ઘડીયાળમાં ટાઇમ મેળવવો હોય - ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઇમ