ધર્મ સંકટ

  • 2.3k
  • 2
  • 468

** ધર્મ સંકટ **( સોશીયલ મીડિયા પ્રેરિત સત્ય ઘટના) કોરોના વાયરસની વૈશ્વિક મહામારીથી બચવા માટે સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલ લોકડાઉનના કારણે ગરીબોને અન્ન વિના ટળવળવું ન પડે તે માટે દરેક શહેર અને ગામમાં દરેક ધર્મના માનવતાવાદી સદગૃહસ્થો દ્વારા અંગત અને સામૂહિક રીતે ગરીબોને અન્ન અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પૂરી પાડવાનું માનવતાનું કામ કરી એકતાનું ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડવામાં આવી રહ્યું છે. આ પરિસ્થિતિમાં એક ભાઈ દ્વારા સોશિયલ મીડિયા પર તેમને થયેલ હદયદ્રાવક અનુભવ વર્ણવતો એક વિડીયો મૂકવામાં આવેલ હતો. વિડીયો મૂકનારે પોતાનું નામ જણાવ્યુ નથી માટે હું તે ‘અજ્ઞાત’ યુવાનનો આભાર માની તેમના વિડીયોનું શબ્દોમાં રૂપાંતર કરી આપની સમક્ષ