પ્રિત એક પડછાયાની - ૫૬

(38)
  • 3.1k
  • 5
  • 1.2k

અપુર્વ : "ભાઈ હવે તો મને લાગે છે કે આપણે બહું નજીક આવી ગયાં છીએ. પણ આપણે કેટલી આત્માઓને મુક્તિ અપાવશુ એ જ સમજાતું નથી. આ નયન અને કૌશલે તો મોતનો બિછાનો હાથમાં લીધું હોય એમ લાગે છે.પણ શું હજું સુધી બંને જીવિત હશે ??" અન્વય : "હા પણ કોની આત્મા હજું બીજાનાં શરીરમાં પ્રવેશીને પોતાની મુક્તિ માટે આજીજી કરી રહે છે ??" લીપી એક શાંત બનીને કોઈ જ હાવભાવ વિના બોલી," હજું આગળ તો વધો...નયન નામનો દાનવ એમ જ રાશિને યાદ રાખીને થોડો બેસી રહેશે ?? એની જિંદગી અત્યારે કયા મુકામ પર છે એ તો જોવું પડશે ને ??"