પ્રાર્થના: ઈશ્વર સાથે સંવાદ   

(15)
  • 7.9k
  • 3
  • 2.2k

પ્રાર્થના: ઈશ્વર સાથે સંવાદ આત્માની પરમાત્મા સાથેની દિલની વાત એટલે પ્રાર્થના. પ્રાર્થનાથી અનંત જ્ઞાન, અનંત શક્તિ, આત્મા શુધ્ધિ અને પરમાત્માની હાજરીનો અનુભવ થાય છે. પ્રાર્થના એ કોઈ યાચના નથી એ તો આભારની લાગણી વ્યકત કરવાની રીત છે. ભગવાને આપણને શરીર સાથે આંખો, બુધ્ધિ, હાથ, નાક જેવા અમુલ્ય અંગો આપ્યા એ માટે આભાર પ્રાર્થના રૂપે કરવાનો હોય છે. મનુષ્ય જન્મ જ સૌથી મોટું વરદાન છે એનો આભારતો માનવોજ જોઈએ. પ્રાર્થના કરવાની ન હોય પરંતુ પ્રાર્થનાની અવસ્થામાં જીવવાનું હોય. દરેક માનવ અને પ્રાણીમાત્ર પ્રત્યે સહાનુભૂતિ હોય તો તમે પ્રાર્થનાની અવસ્થામાં જ છો. તમે સફળ થાવ