ભૂતકાળ ની છાપ - ૫

(14)
  • 3.5k
  • 1
  • 1.2k

અમે ઘણા ડોક્ટરો, હકીમો અને વૈદ્ય ને બતાવી જોયું પણ એનો કોઈ ફાયદો થયો નહીં. એક રાત્રે હું અને તારી માં રૂમમાં બેઠા હતા. ત્યારે તારી માંએ મને માયા ની ચિંતા કરતા કહ્યું કે,"તમને ખબર છે, આપડી દીકરી એક ચોક્કસ સમય માં રડવાનું ચાલુ કરે છે, હું ઘણા સમયથી જોવ છુ, એ રાતનાં અગિયાર વાગ્યે ચાલુ કરીને છેક સવાર ના પાંચ વાગ્યા સુધી રડ્યા કરે છે." તારી માંની આ વાત પર ખૂબ વિચાર કર્યો. પણ કઈ ઉપાય મળ્યો નહીં. અંતમાં તારી માં એ ભૈરવનાથ બાબા ના આશ્રમે જવાના નું સુજવ્યું. ભૈરવનાથ બાબા તો વર્ષો પહેલા આ દુનિયા છોડીને જતા રહ્યા