પાટણ વિશે.

  • 5.8k
  • 1
  • 1.4k

રાજા વનરાજ સિંહ ચાવડાએ વિક્રમ સવંત ૮૦૨ને મહાવદ સાતમના રાજધાની પાટણની સ્થાપના કરી હતી. આ રાજધાનીનું નામ વનરાજ સિંહ ચાવડાએ તેમના મિત્ર અણહિલ ભરવાડના નામ પરથી રાખ્યું હતું. વિક્રમ સવંત ૮૦૨ થી ૯૯૮ એટલે કે ૧૯૬ વર્ષ સુધી ચાવડા વંશે પાટણ પર રાજ કર્યું હતું ત્યાર બાદ મુળરાજ રાજ સિંહ સોલંકીએ પાટણની ગાદી હસ્તક કરી સોલંકી વશની સ્થાપના કરી હતી સોલંકી વંશમાં ભીમદેવ તેમજ સિધ્ધરાજ જયસિંહ જેવા રાજાઓએ રાજ કર્યું હતું. વનરાજ ચાવડા અને સોલંકી અથવા ચાલુક્ય વંશના યુગમાં અહિલપુર પાટણ રાજધાની તરીકે પ્રખ્યાત હતું અને આમ ગુજરાત રાજ્યનું સાડા પાચસો વર્ષથી પણ વધુ સમય સુધીઆ પાટણ રાજ્યનું પાટનગર રહી