ચણોઠીનાં વન એટલે જીવન - 19

  • 2k
  • 1
  • 744

ચણોઠીનાં વન એટલે જીવન પ્રકરણ 19 આજે તને કાગળ લખું છું તે તો માત્ર દિલનો ગુંગળાયેલ અવાજ માત્ર છે..કારણ કે તન થી તો હું તને ખોઇ બેઠેલો વિધુર છું પણ મેં તને મનથી ખોવાયેલ ગણી જ નથી. તને ગમતું ગીત ગણગણું અને તું પ્રત્યક્ષ હાજર થઈ જ જાય.અને સાથે લાવે તું યાદોની ફૌજ. આજે થયું એ ફૌજ ન લાવવી હોય તો ચાલ કંઇક એવુ કરું કે તુ રહે મૌન અને મને વાતો કરવાનો અને આ ગુંગળાતા અવાજને તક મળે થોડું બોલવા માટે…હું મારામાં મસ્ત રહેતો અને તું મારે માટે જાત જાતનું અને ભાત ભાતનું ખાવાનું બનાવતી. અને પ્રેમથી મને જમાડતી.તને