#KNOWN - 23

(23)
  • 2k
  • 3
  • 890

અચાનક અનન્યાના રૂમમાં રહેલ બારી જોરજોરથી ભટકાવા લાગી.... "ત્રિલોકનાથ" અનન્યા આદિત્યની સામું જોતા બોલી. "હા એ જ નામ હતું, પણ અચાનક આ બારીઓ કેમ આમ ખખડવા લાગી છે??" આદિત્યએ ઉભા થઈને બારીઓ બંધ કરી દીધી. "આ રોજનું છે આદિ." "મતલબ" "આવું રોજ બારીઓ અથડાતી હોય છે કારણ વગર." "તો તું તપાસ કેમ નથી કરતી??" "એમાં શું તપાસ કરું !! આ કેમ થતું હશે એ તો જાણું જ છું પણ કોણ કરે છે અને કેમ કરે છે એ નથી ખબર પડતી. એમ પણ મને એ જાણવામાં રસ પણ નથી. આ પુસ્તક ખોલવા માટે મને ખ્યાલ છે ત્યાં સુધી અમાસના રાત્રીના અમૃત