સૂર્યોદય - એક નવી શરૂઆત... - ભાગ :- ૧૧ 

(29)
  • 3.2k
  • 1.3k

ભાગ :- ૧૧ આપણે દસમા ભાગમાં જોયું કે સાર્થક કઈ રીતે પોલીસ વાળી પરિસ્થિતિને પહોંચી વળીને સૃષ્ટિના મનમા વ્યાપેલ ડર દૂર કરે છે. અને એ સૃષ્ટિને પોતાના જીવનમાં શું સ્થાન આપવા માંગે છે એ કહે છે. હવે જોઈએ આગળ સૃષ્ટિના જીવનમાં કેવા વળાંકો આવે છે.*****ફોન ઉપાડતા જ એના કાને ડરેલી, ગભરાયેલી સૃષ્ટિના શબ્દો પડે છે. સાર્થક... એ આગળ કાંઈ બોલી નથી શકતી. આ શબ્દો સાર્થકના મનને હચમચાવી નાખે છે. અને સ્વસ્થ થતાં એ ફરી પૂછે છે. "શું થયું સૃષ્ટિ..!?" સાર્થક... "જોને મનસ્વીને શું થયું છે.? એ સવારથી કાંઈજ બોલતી નથી, સખત તાવ છે, આજે નિરવ પણ ઘરે નથી." સાર્થક સૃષ્ટિને ત્યાં પહોંચવાની હૈયાધારણ