પ્રેત યોનિની પ્રીત... - પ્રકરણ-58

(69)
  • 4.6k
  • 4
  • 1.8k

પ્રેત યોનીની પ્રીત... પ્રકરણ-58 વૈદેહીની લાશ જોઇનેજ એની માં ઇન્દીરાબહેને હૈયાફાટ રુદન કર્યું. એ સાચુંજ નહોતાં માની રહ્યાં. મહેશભાઇને કહ્યું જોયું એ નરાધમોએ મારી વૈદેહીને મારી ફૂલ જેવી દીકરીને પીંખીને મારી નાંખી. મારાં શું ભોગ લાગેલાં એ લોકોનાં દેખાડામાં હું આવી ગઇ ? સાલા સંસ્કાર વિનાનાં ભેડીયાઓએ મારી વૈદેહીનો જીવ લીધો. પોલીસે જણાવ્યુ કે એની સાથે એનાં મિત્ર વિધુનું પણ અવસાન થયુ છે.. ઇન્દીરાબહેને ક્હયું એ છોકરાને મૂકીને હું બીજાનાં સુખ શોધવા ગઇ મારી દીકરીનું પણ છોકરાએ મારી વૈદેહીનો સાથ ના જ છોડ્યો. હે ભગવાન ! મારી કેમ ભૂલ થઇ ? બે સાચ્ચા પ્રેમ કરનારનો મેં જ જીવ લીધો છે. સિધ્ધાર્થ