પરી - ભાગ-8

  • 2.7k
  • 3
  • 1.1k

" પરી " ભાગ-8 માધુરીના પોતાના જીવનમાંથી ચાલ્યા ગયા પછી શિવાંગ કઇ પરિસ્થિતિમાંથી પસાર થાય છે.... હવે આગળ.... માધુરીના ગયા પછી શિવાંગ ખૂબજ ડીપ્રેશનમાં આવી જાય છે. જીવન જીવવા પ્રત્યેની પોતાની આશા ખોઇ બેસે છે. જાણે તેનું બધુંજ લુંટાઈ ગયું હોય તેવો અહેસાસ તેને થાય છે. માધુરીને પોતાની જિંદગી માની બેઠેલો શિવાંગ પોતાની જાતને સંભાળવા પણ કાબેલ નથી રહેતો. એનો કીશન- કાનુડો જેને એ પોતાનો ભગવાન જ નહિ પણ બધુંજ માનતો હતો તે તેની સાથે આવું કંઇક પણ કરશે તેવું તેણે સ્વપ્નમાં પણ વિચાર્યું નહોતું, હવે શું કરવું...?? ક્યાં જવું...?? કોને કહેવું...?? કંઇજ સૂઝતું ન હતું. રોહન અને આરતી તેને