સૂર્યોદય - એક નવી શરૂઆત... - ભાગ :- ૨૦ 

(22)
  • 2.8k
  • 1.1k

ભાગ :- ૨૦ આપણે ઓગણીસમાં ભાગમાં જોયું કે સૃષ્ટિને સાર્થક અને સુનિધિ વચ્ચે શું ચાલી રહ્યું છે એ સાથે સાર્થક આગળ વધે એ પણ ચિંતા થઈ રહી છે. નિરવ આટલા વર્ષોમાં પહેલીવાર સૃષ્ટિ અને મનસ્વીને પોતાના જીવનમાં મિસ કરી રહ્યો છે. હવે જોઈએ આગળ સૃષ્ટિના જીવનમાં કેવા વળાંકો આવે છે.*****નિરવને અત્યારે તો કાંઈજ સમજાઈ રહ્યું નહોતું કે શું કરવું શું ના કરવું. અનુરાધાની વાત ઉપરથી ઘણા સવાલો પોતાના ભવિષ્ય ઉપર આવીને ઉભા રહેવાના હતા એ સમજાઈ રહ્યું હતું. આથી એ વિચારમાં પડ્યો કે હવે મારે શું કરવું જોઈએ જેથી ફરીથી હું સૃષ્ટિ અને મનસ્વીનો વિશ્વાસ કેળવી આગળ વધી શકું. મનસ્વીના મનમાં