દિલ ની કટાર-“ખૂન કે આત્મહત્યા”

(25)
  • 4.8k
  • 4
  • 1.5k

દિલની કટાર...“ખૂન કે આત્મહત્યા”હમણાં ઘણાં સમયથી પ્રિન્ટ મીડિયા અને ડીજીટલ મિડીયામાં એકજ વિષય ચરમસીમા પર છે. સુશાંતસિંહ રાજપૂતનું ખૂન કે આત્મહત્યા?. આ સમાચાર હમણાથી એટલા હોટ ન્યૂઝ બની ગયાં છે કે કોઈપણ ન્યૂઝ ચેનલ ચાલુ કરો બસ આજ સમાચાર જુદી જુદી રીતે પીરસવામાં આવી રહયાં છે. હું અત્યારે લખી રહ્યો છું ત્યારે પણ ન્યૂઝમાં રિયા રિયા જ સંભળાય છે. દરેક ન્યૂઝ ચેનલ પોતપોતાની સ્ટ્રેટેજી પ્રમાણે ન્યૂઝનું રિપોર્ટિંગ અને એનાલિસિસ કરી રહી છે. એક ચેનલ સિવાય બાકીની બધી ચેનલ દ્રગ, ગુનેગારની બરાબર પાછળ લાગે.આ સમાચાર એટલી હદે હાવી થઈ ગયાં કે ઉંઘતા જાગતાં સુશાંત શુશાંત બોલી જવાય છે. મને એક ભય