અનોખી ઉજવણી

  • 2.4k
  • 1
  • 598

સંગીતપ્રેમી રાજેશ્વરીને ગાવાનો ખૂબ જ શોખ.જ્યારે પણ એ ખુશ હોય ત્યારે એ એને ગમતી ગઝલો અને ગીતો ગાવા મંડ઼ે.આજે એ ખૂબ જ ખુશ હતી એટલે એ મરીઝ સાહેબની ગઝલ ગાઈ રહી હતી. "આ મોહબ્બત છે, કે છે એની દયા, કહેતા નથી. એક મુદ્દત થઇ કે, તેઓ હા કે ના કહેતા નથી. બે જણા દિલથી મળે તો એક મજલીસ છે ‘મરીઝ’ દિલ વિના લાખો મળે, એને સભા કહેતા નથી." હું ક્યાં કહું છું આપની ‘હા’ હોવી જોઇએ ; પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઇએ. પૂરતો નથી નસીબનો આનંદ ઓ ખુદા, મરજી મુજબની થોડી મજા હોવી જોઇએ. એવી તો બેદિલીથી