પ્રણયભંગ ભાગ – 4

(86)
  • 4.8k
  • 6
  • 2.9k

પ્રણયભંગ ભાગ – 4 લેખક - મેર મેહુલ દિવસ અને રાતનાં સમયે વ્યક્તિના મૂડમાં જમીન આસમાનનું અંતર હોય છે. જે માણસ દિવસ દરમિયાન સપાટ ભાવે વર્તન કરતો હોય એ પણ રાતે લાગણીઓનાં ભવરમાં ફસાઈ જાય છે. રાતનો સમય જ કંઈક જુદો હોય છે. માણસ આ સમયે પોતાની સાથે જ વાતો કરે છે. ભૂતકાળને વાગોળે છે અને ભવિષ્યનાં સપનાં જુએ છે. આ એ સમય છે જ્યારે લાગણીઓ મુક્ત પણે વિહાર કરે છે. જે વાત મનમાં હોય છે એ આપોઆપ બહાર આવી જાય છે. અખિલ પણ રાતના સમયે આવી જ પરિસ્થિતિમાં હતો. એ સિયાથી દૂર રહેવાનાં પ્રયાસ કરતો હતો પણ