આપણી નિંદા કરનારને આપણી પાસે જ રાખવો.

  • 4.3k
  • 1.1k

જેસલ ડાકુ અને તોરલ સતીની ગાથા તો કચ્છના ઇતિહાસમાં અમર થઇ ગઈ છે. હું જાણું છું કે આપ સૌ આ અમરપાત્રો વિશે જાણતા હશો છતાંયે મારી સતી તોરલ પ્રત્યેની લાગણી તીવ્ર બનતા એક નાનો કિસ્સો તમારી સમક્ષ રજુ કરવા માંગુ છું. .આપણી ભજનવાણીમાં અધિકતર ધર્મને પ્રાધાન્ય આપાયું છે. ધર્મને આશ્રિત એવા જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, ઉપદેશ જેવા ભાવોનો રંગ આપણે ભજનોમાં જોવા મળે છે. મધ્યકાળના સંતભકતોએ પણ આવા ભગવદભાવનું ગાન ગાયું છે. નખશિખ અને શુદ્ધ- બુદ્ધરૂપે ભક્તિનું આત્મોદ્ગાર સતી તોરલની આરાધી ભજનવાણીમાં પણ છે. સતી તોરલની વાણીમાં ભક્તિમહિમા, જ્ઞાનમહિમા અને મુક્તિ પ્રાપ્તિનાં ભાવોનો ચિતાર મળી આવે છે. તોરલ સાધુચરિતથી જેસલ