જાણે-અજાણે (71)

(39)
  • 4.2k
  • 1
  • 1.4k

આ તરફ નિયતિ પોતાની ભૂલ સમજી ધિરજનાં ઘેર જવાં નિકળી પડી. બીજી તરફ ધિરજ પોતાની જવાબદારી સમજી અમીને શોધવા નિકળી પડ્યો. અમી પાસે ના ફોન હતો કે ના કોઈ રહેવાનું ઠેંકાણુ. એટલે ધિરજ પાસે કોઈ રસ્તો હતો નહીં તેની સુધી પહોંચવાનો. પણ અમીને જ્યાં છોડીને ચાલ્યો હતો તે જગ્યા હજું તેને બરાબર યાદ હતી. અને ધિરજ વિચારી રહ્યો હતો કે ત્યાં જ આસપાસ ક્યાંક તેનું ઠેંકાણું પણ મળી જશે. આ તરફ નિયતિ ધિરજનાં ઘેર પહોંચી પણ તે અથવાં અમી તેને મળ્યા નહીં એટલે નિયતિએ ધિરજને ફોન કર્યો . નિયતિનો પ્રશ્ન કે તે ક્યાં છે તેનો