આગે ભી જાને ના તુ - 6

(13)
  • 2.1k
  • 768

પ્રકરણ - ૬/છ ગતાંકમાં વાંચ્યું અનંતરાયને કોઈનો ફોન આવતા એમની તબિયત અચાનક બગડે છે અને એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. રાજપરામાં જોરાવરસિંહ અને રતન એમના રોજિંદા જીવનમાંવ્યસ્ત છે. રાજીવ અનંતરાયનો પડી ગયેલા મોબાઈલમાં આવેલ નંબરની તપાસ કરતાં ખબર પડે છે કે ફોન કરનાર વ્યક્તિ છે "ખીમજી પટેલ." હવે આગળ બે દિવસની સારવાર અને ટેસ્ટિંગ કરાવ્યા બાદ બધા રિપોર્ટ નોર્મલ આવતાં અનંતરાયને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ. રાજીવ એમને ઘરે લઈ આવ્યો અને ડૉક્ટરની સૂચના પ્રમાણે આરામ કરવા માટે કહ્યું, "પપ્પા, હવે થોડા દિવસ તમારે રૂમમાં જ રહેવાનું છે, ક્યાંય બહાર નથી નીકળવાનું. આજથી તમને બ્રેકફાસ્ટ, લંચ, ડિનર બધું અહીં જ