વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 12

(13)
  • 2.2k
  • 4
  • 1k

મહારાજ ભયદુતની તલવારથી કૃષ્ણવીર બેબશ થઈ તેમના શરણે થઈ જવું પડ્યું. અને ભયદુતે કૃષ્ણવીરને બંધક બનાવી લીધા. બંધક બની ગયેલા રાજા કૃષ્ણવીર ને જોઇને સેનાપતિ વીરભદ્ર શું કરવું તે સમજ પડી નહિ. અને આવેશમાં આવીને તે ભયદુત સામે યુદ્ધ કરવા લાગ્યા પણ તે પણ ભયદુત સામે યુદ્ધમાં ટકી શક્યા નહિ ને તે પણ ભયદુત હાથે બંધક બની ગયા.ભયદુત ના સૈનિકો દ્વારા કૃષ્ણવીર અને વીરભદ્ર ને એક ખંડેર જેવા કારાવાસ માં ધકેલી દીધા. તે કારાવાસ વર્ષો સુધી બંધ હાલતમાં હતો ત્યાં પ્રકાશ નામે બસ એક નાની બારી હતી. બાકી બધું અંધકારમય હતું. તે કારાવાસ ની એક ઓરડીમાં કૃષ્ણવીર ને રાખવામાં આવ્યા