વૈશ્યાલય - 17

(24)
  • 5.7k
  • 3
  • 3.1k

બસ એ દિવસ વિચારોમાં જ પસાર થઈ ગયો. ધનિક લોકોની ખાનગી વાતો કે એમના કાંડો દબાઈ જતા હોય છે. નાના માણસની કપરી સ્થિતિનો તમાશો થઈ જાય છે. મેં કપરી સ્થિતિ જોઈ છે, જ્યાં કહેવાતો ધર્મ ખૂબ ટૂંકો થઈ જાય છે. માણસ ખુદનું અસ્થિત્વ ટકાવવા અનેક સંઘર્ષ કરે છે ત્યાં ધર્મની વાત કરવી વ્યર્થ છે. મેં ભગવાન પાસે દિવા બત્તી નહોતા કર્યા. કારણ કે હું એનાથી દૂર જઈ રહી હતી. ગરીબોનું અસ્થિત્વ માત્ર એમની મહેનત પર આધારિત હોય છે નહીં કે પ્રભુની કૃપા પર, પ્રભુની કૃપા માત્ર એ શાહુકારો માટે છે, જે માણસ ગરીબીને લૂંટી નામના માટે મંદિરોમાં કરોડો પુરીના દાન