પ્રતિશોધ તૃતીય અંક: - 13

(200)
  • 5.7k
  • 8
  • 3.2k

પ્રતિશોધ તૃતીય અંક: ભાગ-13 તારાપુર, રાજસ્થાન માધવપુરના સર્વનાશની વિતક રાજા તેજપ્રતાપના મુખેથી સાંભળ્યાં બાદ આદિત્યના મનમાં જે પ્રશ્નો હતા એનું નિરાકરણ તો ના આવ્યું પણ આ વિતક સાંભળી એ પ્રશ્નોમાં વધારો અચૂક થયો. આદિત્યની છઠ્ઠી ઈન્દ્રિય એને જણાવી રહી હતી કે માધવપુરની આ ઘટનાનો એ પોતે સાક્ષી હતો. "શું વિચારે છે આદિત્ય?" આદિત્યને વિચારશીલ મુખમુદ્રામાં જોઈ રાજા તેજપ્રતાપે પૂછ્યું. "આ ઘટના તે પોતે અનુભવી હોય એવું લાગે છે ને તને?" પોતે શું વિચારી રહ્યો હતો એની રાજા તેજપ્રતાપને કઈ રીતે ખબર પડી? આ વિચારતા આદિત્ય આંચકો લાગ્યો હોય એમ વૃદ્ધ રાજા સામે તકી રહ્યો. તુરંત આદિત્યએ સ્વસ્થતા ધારણ કરી અને