વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-19

(50)
  • 3.3k
  • 8
  • 1.9k

વાઇલ્ડ ફ્લાવર્સ પ્રકરણ-19 સુરેખાનાં પાપા મનસુખભાઇ સુરેખને બહાર લઇ જઇને કહે "બહુ સારુ નથી કેન્સરને છેલ્લો સ્ટેજનું કેન્સર ડિટેકટ થયુ છે અને ડોક્ટરે આશા છોડી છે. કહે છે ગમે ત્યારે ગમે તે થઇ શકે. ઘણાં સમયથી બિમાર હતી. પણ છેલ્લા દિવસોમાં... પછી એકદમ ઢીલા થઇ ગયાં ગળે ડૂમો ભરાયો બોલ્યાં છેક છેલ્લે સુધી કંઇ ખબરજ ના પડી કાલે બધાં ટેસ્ટ કરાવવા કીધાં. સુરેખાને એનું બગડે એમ કરીને બોલાવી નહીં પણ આજે રીપોર્ટ આવ્યાં પછી મારી ધીરજ ના રહી રખે એની મંમીને કંઇ થઇ જાય તો ? સુરેખ જાણી ઢીલો થયો એને વિચાર આવ્યો સુંરેખા જાણશે તો એનું શું થશે ? એમ