લાગી કાળની થાપટ

(20)
  • 1.8k
  • 1
  • 636

*લાગી કાળની થાપટ* ટૂંકીવાર્તા... ૧૯-૬-૨૦૨૦ શુક્રવાર...મનસુખલાલ ને પોતાની આવડત અને હોંશિયારી નું ખુબ અભિમાન હતું... મનસુખલાલ નાં પત્ની કનક બહેન...મનસુખલાલ અને કનક બહેન ને ત્રણ સંતાનો હતાં બે દિકરાઓ અને એક દિકરી...મોટો દિકરો રોહિત અને નાનો દિકરો પંકજ... અને સૌથી નાની દિકરી ગૌરી... મનસુખલાલ પોતાનો ધંધો વધારવા કોઠા કબાડા કરીને કેટલાય લોકોને અન્યાય કર્યા અને કેટલાય લોકોની આંતરડી કકડાવી અને કેટલાંય લોકો જોડે છળ કપટ કરીને રૂપિયા અને જમીન પડાવી લીધી અને પોતાનો ધંધો વધાર્યો અને એક મોટો આલિશાન બંગલો બનાવ્યો...અને પોતાને મહાન સમજવાં લાગ્યા...જે લોકોને એમણે તકલીફ આપી હતી એ અવાજ ઉઠાવે તો એ લોકોને દબડાવે અથવા ખોટી રીતે પરેશા કરી