યશ્વી... - 2

(17)
  • 4.3k
  • 2.1k

( યશ્વી ને નાટક લખવા માટે પ્રો.રામી અને પ્રો.સહાય તેને પ્રોત્સાહિત કરે છે. યશ્વી નાટક લખી નાખે છે. હવે આગળ) 15મી ઓગષ્ટે ધ્વજવંદન અને સ્પીચ પછી પ્રો.અમીન સરે એનાઉન્સ કર્યું કે, "આપણી કોલેજના ઈગ્લીશ ડિપાર્ટમેન્ટના સ્ટુડન્ટસ એક નાટક રજુ કરી રહ્યા છે. તો આવો નિહાળીએ નાટક 'ભારતમાતાની વ્યથા'... (સ્ટેજ પર ભારતમાતાનો વેશ પહેરીને સોનલ પ્રવેશે છે. ભારતમાતા બોલે છે.) 'હું 50 વર્ષ પછી જાગી છું. વળી, આજે 15મી ઓગષ્ટ છે. આજના દિવસે મને ગુલામી માંથી આઝાદી મળી હતી. મારી પ્રજા આઝાદ થઈ હતી. એ વખતની ખુશી દરેકના મુખ પર દેખવા લાયક હતી. અને મારી પ્રજા -હવે તેઓ પણ પછાત નહીં