એક સંતાનના મનની વાત

  • 2.7k
  • 2
  • 619

ધોરણ 10 અને 12ની પરીક્ષા આપતા તમામ વિદ્યાર્થીઓને મારા વંદન અને જે પણ કઈ પરિણામ આવે તેના માટે અભિનંદનઆજથી ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થઈ છે. ત્યારે આજે મારા આટલા વર્ષના અનુભવ સાથે મારી કેટલીક લાગણીઓ વ્યક્ત કરવાનો એક પ્રયાસ કરવો મને જરૂરી લાગી રહ્યું છે. આજના સમયમાં ભણતર જ્ઞાન માટે નહીં પરંતુ સ્પર્ધા માટે જ થઈ રહ્યું છે. (હવે, આ વાંચીને એમ ના કહેતા કે થ્રી ઈડિયટની વાત છે. અમને બધાને ખબર છે.) આપના દાદા અને પરદાદા ના સમયમાં ભણતર મેળવવું જ અગત્યનું હતું. તે જમાનામાં વ્યક્તિ થોડું પણ ભણેલો હોય તો તેને ઘરમાં અને સમાજમાં માનથી બોલાવતો