મેનેજમેન્ટ ગુરુ

  • 3.8k
  • 3
  • 1.1k

આધ્યાતમિક મેનેજમેન્ટ ગુરુDIPAK CHITNIS (dchitnis3@gmail.com)........................................................................................................................................................यढ् यदाचरित श्रेष्ठस्त्तत्तदेवेतरी जन: ।स यत्प्रमाणं कुरुते लोकस्तदनुवतँते ।।મહાપુરુષ જે જે આચરણ કરે છે, તેનું અનુસરણ સામાન્ય મનુષ્યો કરે છે અને ઉદાહરણરૂપ આચરણ દ્વારા તે જે આદર્શ પ્રસ્થાપિત કરે છે, તેનું સમગ્ર જગત અનુસરણ કરે છે. આપણો ભારત દેશ એક વિશાળ મહામાવતાનો ક્ષીરસાગર છે. આ ક્ષીરસાગરમાં અનેક પ્રકારની માનવ જાતિઓની વસ્તી ગંગા-જમુનાની જેમ એકબીજામાં ભળી જવા પામેલ છે. ‘ભારત’ નામ એક વિશાળ સંસ્કૃતિનું નામાભિધાન થવા પામેલ છે. ભારત દેશમાં વસતાં પ્રજાજનોની જોવાની,માણવાની દ્રષ્ટિ એક જ પ્રકારની કંડારાયેલી છે. પ્રશ્ન અને સમસ્યાઓ ઉપર વિચાર કરવાની રીત પણ એક જ છે. રામ અને કૃષ્ણ, ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધ આ બધા દેશને પોતાના સંદેશથી અનેક પ્રકારની પ્રેરણા તેમના કાર્યોમાંથી મળેલ છે. આજે પણ આ