ભોળો શંકર

  • 3.3k
  • 900

ભોળો શંકરજ્યારે અત્યાર ના જમાના માં ભોળા ને મૂર્ખ અને લુચ્ચા ને ચાલાક અથવા હોંશીયાર ગણવામાં આવે છે, છતાં પણ કેમ જાણે પોતાના ભોળપણ થી બીજાના જીવન મહેકાવી દે એવા અસંખ્ય લોકો હજી પણ છે આ દુનિયામાં. આ બધી ફિલ્મી વાતો છે અથવા તો કામ વગર ની ફિલોસોફી, એ જ અભિગમ છે મેક નો. મેક એક સફળ વ્યવસાયી જેણે પોતાની મહેનત અને મૂડીવાદી વિચારધારા થી મોટો બિઝનેસ ઉભો કર્યો છે. આમ તો ભારત આવવામાં મેક ને જરા પણ રસ ન હતો પણ સગી માં ને વચન આપ્યું તું કે તેવડ થશે તો ગામ માં શાળા બનાવીશ. એટલે એ માં ને આપેલું વચન