એક પૂનમની રાત - પ્રકરણ-8

(130)
  • 8.4k
  • 2
  • 5.6k

એક પૂનમની રાત પ્રકરણ-8 સિધ્ધાર્થ સાથે દેવાંશ વાત અને જવા માટેની ચર્ચા કરી રહ્યો હતો અને વિક્રમસિંહ આવી ગયાં. એમણે પૂછ્યું આટલી રસપૂર્વક શું વાતો કરી રહ્યાં છો ? સિધ્ધાર્થે કહ્યું વાવ જવા માટેની તૈયારી અમે હથિયારધારી કોન્સ્ટેબલ લઇને જઇશું આપનો શું અભિપ્રાય છે. વિક્રમસિહે કહ્યું મેં દેવાંશને આવી કોઇ વાવ અને એવી જગ્યાએ વિષે વાંચીને માહિતી આપવા કહ્યું હતું તમે જવાની તૈયારી કરવા માંડ્યા પછી દેવાંશની સામેજ જોઇ રહ્યાં. પછી દેવાંશની પાસે આવીને કહ્યું દીકરા તને ખૂબ રસ છે જાણવા અનુભવ કરવાનો પણ આપણાં ઘરમાંજ ગઇ રાતે શું થયું હતું તું જાણે છે ને ? દેવાંશે કહ્યું પાપા દરેક પરિસ્થિતિથી