રક્ત ચરિત્ર - 32

(14)
  • 2.9k
  • 2
  • 1.2k

૩૨ "મુખ્ય કારણ? સાચી વાત જણાવ." સાંજએ બંદૂક લોડ કરી. "ભાવનાભાભી અને મોહનભાઇના આડા સબંધો વિશે અનિલભાઈને ખબર પડી ગઈ હતી, એટલે ભાવનાભાભીએ જ અનિલભાઈને મારવાની યોજના ઘડી હતી. અમે બધાંએ માત્ર અનિલભાઈની મિલકત હડપવાના ઈરાદાથી એમનો સાથ આપ્યો હતો." રામપાલ હજુયે બંદૂક જોઈને ધ્રુજી રહ્યો હતો. સાંજ સોફા પર બેસી ગઈ, આંખો બંધ કરીને તેં કંઈક વિચારી રહી હતી. "સુરજને કે'વું કે નઈ એ વિચારે છે?" અરુણ પણ હજુ શૉક હતો. "સુરજને આ વાત ખબર ન પડવી જોઈએ, હું ચિંકીને છોડાવવા વિશે વિચારી રહી છું." સાંજ ડ્રોવર તપાસીને એક કાગળ પેન લઇ આવી. "હું જે કઉં એ લખ." સાંજએ