મૃતપ્રાય કલામાં પ્રાણ પૂરનાર એક નારી રત્ન :- નીલુ પટેલ

  • 3.1k
  • 732

ભારત સદીઓથી પોતાની કલા અને પોતાના સાંસ્કૃતિક વારસાના કારણે સમગ્ર વિશ્વમાં પંકાતો રહ્યો છે. ભારતની કલામાં એટલું વૈવિધ્ય છે કે આજે પણ સમગ્ર વિશ્વ ભારતની કલા અને તેના સાંસ્કૃતિક વારસા પ્રત્યે નતમસ્તક થઈ જાય છે. ભારતનું માન સમગ્ર વિશ્વમાં આમ જ જળવાઈ રહે તે માટે કલાનું સતત સંવર્ધન અતિ આવશ્યક છે. આજે કેટલીક કલાઓ એવી છે કે જે લુપ્તપ્રાય થવાની એરણે આવીને ઊભી છે. આવી જ એક મરણ પથારીએ પડેલી કલા એટલે ' પેપર મેશી આર્ટ વર્ક ' અને આ કલામાં પ્રાણ પૂરવાનું કામ કરી રહી છે ગુજરાતની એક સાહસિક અને કલાપ્રેમી દીકરી નીલુ પટેલ.