પુનર્જન્મ - 47

(38)
  • 3.6k
  • 5
  • 2k

પુનર્જન્મ 47 અનિકેત ઘરે પહોંચ્યો ત્યારે રાતના દસ વાગી ગયા હતા. જમવાની કોઈ ઈચ્છા ન હતી. એ ખૂબ થાકી ગયો હતો. એને બેઠો માર ખૂબ વાગ્યો હતો. પણ લોહી ક્યાંયથી નીકળ્યું ન હતું એટલું સારું હતું. દૂધની સાથે દવા લઈ એ ખાટલામાં આડો પડ્યો. અચાનક અનિકેતને યાદ આવ્યું કે આજે મોનિકા એ ફોન કરવાનું કહ્યું હતું. પણ ફોન તો બળવંતરાય પાસે રહી ગયો. એટલામાં દિવાલ પરથી મગનનો અવાજ આવ્યો. " ભાઈ, દીદી નો ફોન છે. " અનિકેતે ફોન લીધો. સહુથી પહેલા તો મોનિકા એ એને