અપશુકન - ભાગ - 29

(19)
  • 3.3k
  • 1
  • 1.3k

આજે મલયકુમારના સ્વર્ગવાસને તેર દિવસ પૂરા થઈ ગયા. તેમના તેરમાની અને વરસી વાળવાની વિધી પૂરી થઈ એટલે માલિનીબેન અને અંતરા મમતાને પોતાના ઘરે લઈ આવ્યાં. કુણાલ પણ સાથે આવ્યો હતો રોકાવા… સાથે ગરિમાને પણ કહ્યું હતું, ઘરે રોકાવા આવવા માટે... મમતાને થોડો સધિયારો રહે. ગરિમાનાં સાસુ પ્રજ્ઞાબેનનો સ્વર્ગવાસ થઈ ગયો હતો. ગરિમા અને મનોજને કોઇ સંતાન ન થયું. છેલ્લાં થોડાં વર્ષોથી મનોજનો ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધો ઠપ થઈ ગયો હતો. કસ્ટમરને આકર્ષવા માટે મોંઘી મોંઘી સ્કીમ રાખવામાં મનોજે ધંધામાં ઘણું નુકસાન વેઠવું પડયું. ઘર ચલાવવાના પણ ફાંફાં હતા, પણ ગરિમાનો રૂઆબ જરાય ઓછો થયો નહોતો. ફેશન પાછળ આજેય તે બેફામ