ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૬૭

  • 2.2k
  • 2
  • 1.1k

પરીઓના દેશથી નીકળીને કાવ્યા ફરી વસ્ત્રાપુર આવી. કાવ્યા દ્રઢ વિશ્વાસ લઈને આવી હતી કે ગમે તે ભોગે વિરેન્દ્રસિંહની સગાઈ માયા સાથે કરવા દેવી નથી. એજ સમુદ્ર કિનારે આવીને બેઠી જ્યાં વિરેન્દ્રસિંહ અને માયા બેઠા હતા. ત્યાં બેસીને કાવ્યા વિચારવા લાગી. કંઈ રીતે વિરેન્દ્રસિંહની સગાઈ તોડી શકીશ. ઘણા વિચારો પછી તેના મનમાં એક વિચાર આવ્યો. અને તે વિચાર પર કાવ્યા આગળ વધી. કુંવર વિરેન્દ્રસિંહને રોજ સવારે મહેલની બહાર આવેલ રોયલ ગાર્ડનમાં ચાલવા નીકળી જતા. કાવ્યા તે સવારે સુંદર કપડાં પહેરીને તે ગાર્ડન પાસે ઊભી રહીને વિરેન્દ્રસિંહની રાહ જોવા લાગી. થોડો સમય થયો એટલે વિરેન્દ્રસિંહ ત્યાં આવ્યા. પક્ષીઓ સાથે વાતો કરતી, હસતો ચહેરો અને