રાજવી : પ્રીતની નવી રીત - 24

  • 2.4k
  • 2
  • 966

(૨૪) (ઉગ્રસેન રાજા કૃષ્ણ મહારાજને સંદેશનો જવાબ આપે છે. નેમકુમારનું મનોમંથન ચાલી રહ્યું છે. હવે આગળ...) જયારે નેમકુમારે શિવાદેવી માતાને એમની ઈચ્છા બદલ કહ્યું તો, "માતાજી, રહનેમિ તમારી ઈચ્છા પૂરી કરશે." "રહનેમિ...." એ તો ઉશ્કેરાઈ ગયાં. "હજી તો હમણાં જ એ અહીં આવ્યો છે. મોસાળમાં જ એ મોટો થયો છે. યાદવકુળની પ્રતિષ્ઠાનું એને ભાન નથી. અને ગમે તેમ તો પણ એ તો નાનો ભાઈ, એને માથે એવી કોઈ જવાબદારી હોય જ નહીં. નેમ, આ તો તારે વિચારવાનો સવાલ છે, અને..." એ રડી પડ્યા અને મને એમના આસું લૂછવાનો પણ અધિકાર નહોતો. જાણે ચારે દીવાલો મને કહી રહી હતી કે આટલો