પ્રાયશ્ચિત - 89

(99)
  • 7.5k
  • 5
  • 5.8k

પ્રાયશ્ચિત પ્રકરણ 89હરીને ભજતાં હજુ કોઈની લાજ જતાં નથી જાણી રે .....જેની સુરતા શામળિયાને સાથ વદે વેદ વાણી રે .....ગુરુજીની આજ્ઞા પાળીને કેતન મથુરા વૃંદાવન અને જગન્નાથપુરીની યાત્રાએ નીકળી તો પડ્યો પણ એ પછી એની યાત્રામાં જે રીતે ઘટના ચક્રો આકાર લેતાં ગયાં એ બધું યાદ કરીને કેતનને નાનપણમાં સાંભળેલું કવિ પ્રેમળદાસનું આ ભજન યાદ આવી ગયું. હવે એને ખાતરી થઇ ગઇ હતી કે કોઈક દૈવી શક્તિ સતત એનું ધ્યાન રાખતી હતી. એણે હવે ચિંતા કરવાનું છોડી દીધું હતું. બે ટાઈમ જમવા માટે પૂરતાં થેપલાં હતાં. દહીં ના હોય તો પણ પાણીના ઘૂંટડા સાથે થેપલાં ખાઈ શકાય. બપોરે લગભગ ૧૨ વાગ્યે ચાંપા