પ્રાયશ્ચિત - 90

(81)
  • 6.7k
  • 5.6k

પ્રાયશ્ચિત પ્રકરણ 90"કેતનને ગયાને ચાર પાંચ દિવસ થઈ ગયા. કેતન ફોન કેમ નથી કરતો ? કમ સે કમ દિવસમાં એકવાર ઘરે વાત તો કરી લેવી જોઈએ ને ? અમેરિકા હતો ત્યારે પણ રોજ ફોન આવતો. જાનકી તારે કોઈ વાત થઈ છે કેતનની સાથે ? " જગદીશભાઈ બોલ્યા. " ના પપ્પા મારી ઉપર પણ એમનો કોઈ ફોન આવ્યો નથી. મેં ગઈ કાલે રાત્રે ફોન સામેથી કરેલો પણ એમનો ફોન સ્વીચ ઓફ આવતો હતો. ટ્રેનની મુસાફરીમાં હોય તો નેટવર્ક પણ ક્યારેક નથી હોતું." જાનકી બોલી. " અરે પણ એ ટ્રેનમાં મુસાફરી શા માટે કરે ? અને માણસ રાત્રે હોટલમાંથી સૂતી વખતે તો ફોન કરી