એક પૂનમની રાત - પ્રકરણ-89

(107)
  • 5.9k
  • 4k

એક પૂનમની રાત પ્રકરણ-89 નાનાજી બોલી રહેલાં અને બધાં કૂતૂહૂલ પૂર્વક સાંભળી રહેલાં. વિક્રમસિહજીએ કહ્યું આપની વાત સાચી છે દેવાંશે મારી પાસે એક બે વાર ઉલ્લેખ કરેલો પણ એ પૂરી વાત નથી કરતો કોઇ સંકોચ અને ડર કદાચ એને સતાવે છે. નાનાજીએ કહ્યું એમાં ઊંડા ઉતરવાની જરૂર નથી હું બધુંજ જાણું છું અને એની કોઇએ ચિંતા કરવાની જરૂર નથી. સૌપ્રથમતો આજે બધાનું મોં મીઠું કરાવો આપણે બંન્ને છોકરાઓનો સંબંધ નક્કી કરીએ છીએ અને એમનાં લગ્ન પણ લઇ લઇશું. અમને સંબંધ સ્વીકાર્ય છે. વ્યોમાની મંમી મીરાંબહેને કહ્યું પણ પાપા હમણાં તો તમે કહ્યું એ લોકોની વિધી કરાવવાની છે જે જીવઆત્મા વચ્ચે