રાજવી : પ્રીતની નવી રીત - 42

  • 1.7k
  • 1
  • 784

(૪૨) (સત્યભામા રાજુલને સમજાવી શકતી નથી અને કૃષ્ણ મહારાજ આગળ ગુસ્સો કરે છે. હવે આગળ...) "થોડા વિચારમાં તો છું જ. સત્યભામા આવીને વધારે રોષે ભરાઈ છે. એ તો કહે છે કે આપણે બધાં નબળા એટલે જ રાજુલનો ભવ બગડયો." કૃષ્ણ મહારાજે કહ્યું. "એની રીતે એ સાચી છે, પણ આપણને એ નહીં સમજાય." "તમને સમજાય છે, દેવી? એટલે હું તમને એ જ પૂછવા આવ્યો છું." "મારા મનમાં પણ ઘણીવાર આ વાત ઘોળાય છે. કાલે જ મેં નેમ સાથે પણ વાત કરી. એમને આ બધી જંજાળ લાગે છે અને એમનો આત્મા મોક્ષ જ ઝંખે છે. એ ઝંખનાને સિધ્ધ કરવા એ આ બધું