રાજવી : પ્રીતની નવી રીત - 43

  • 1.5k
  • 740

(૪૩) (નેમકુમાર દિક્ષિત બની જાય છે. તેમનો ઉપદેશ સાંભળવા કૃષ્ણ મહારાજ જાય છે. હવે આગળ...) અસંબ્ધપણે કૃષ્ણ મહારાજ બોલ્યે જતા હતા તો યોગી નેમનાથે કહ્યું, "વીજળીના ઝબકારા જેવી લક્ષ્મી, એનો વળી મોહ શો... અને વાદળની છાયા જેવું યૌવન, ઘડીમાં આવે અને જાય, પાણીના પરપોટા જેવી જીંદગી... આ બધું મને સમજાયું એટલે હું નીકળી ગયો, આમાં તમારી તો કોઈ જવાબદારી જ નથી." "છે, આટલી સરસ સાધનામાં થી તમને ચળાવવા અમે મથ્યાં." કૃષ્ણ મહારાજ તરત જ આત્મીય ભાવ પર આવીને બોલ્યા. "હવે એ બધું યાદ કરવાની જરૂર નથી." શ્રી નેમનાથે જણાવ્યું. લોકો તો કુમારની દેશના સાંભળવા તલપાપડ થઈ ગયા હતા. કર્મયોગી શ્રી